Monday, December 31, 2012


ગાંધીનગર તાલુકાના મુખપત્ર ગરિમાના ટાયટલ પેજ પર આદર્શ પ્રાથમિક શાળા, શાહપુર 



Saturday, December 15, 2012

શ્રધાંજલિ સરદાર વલ્લભભાઈ પટેલ


મતદાન જાગૃતિ અભિયાન

શાહપુર પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું . શાળાના બાળકોએ ગામમાં પોસ્ટર સાથે રેલી યોજી લોકોને મતદાન એ આપણી નૈતિક ફરજ છે તે સમજાવ્યું, અને લોકોને ખાસ મતદાન કરવા જણાવ્યું .



Sunday, November 18, 2012

જલારામ જયંતિ, તા . 20-11-2012,







જલારામ બાપા
જન્મ ૧૪-૧૧-૧૭૯૯
જલારામ જયંતિ, કારતક સુદ સાતમ,
તા . 20-11-2012,
 પિતા – પ્રધાન ઠક્કર
માતા: રાજબાઇ




યાત્રાધામોની શ્રેણીમાં વીરપુર એ એક અનન્ય યાત્રાધામ છે. જલારામ બાપાના નામ સાથે સંકળાયેલું આ સ્થળ સમગ્ર ગુજરાતનું તીર્થઘામ છે.ગોંડલ અને જેતપુર વચ્ચે આવેલા વીરપુરમાં રામનું મંદિર આવેલું છે.કારણ કે જલારામ બાપા નાનપણથી રામના પ્રેમી હતા. જલારામ બાપાની ઈચ્છાનુસાર અહીં સદાવ્રત ચાલે છે અને બારે માસ યાત્રાળુઓની ભીડ રહે છે.જરાલામ બાપાના નામે ચાલતા ટ્રસ્ટ તરફથી શિક્ષણના વિકાસની પ્રવૃત્તિઓ ચાલે છે.

શ્રી જલારામ બાપાનો જન્મ ૧૪-૧૧-૧૭૯૯ ના રોજ વીરપુરમાં માતા રાજબાઇના કુખે થયો. એમના પિતાજીનું નામ હતુ શ્રી પ્રધાન ઠક્કર જેઓનો પોતાનો ધંધો હતો. માતા રાજબાઇ હંમેશા સાધુ સંતોની સેવા કરતા. એમનું આદરઆતિથ્ય માણ્યા વગર વીરપુરથી કોઇ જતુ નહી. સંત રધુવીરદાસજીએ મા રાજબાઇને કહ્યું હતુ કે એમનો બીજો પુત્ર ખુબ પ્રસિદ્ધ સેવાભાવી સંત થશે. આવી માતા પાસેથી જલારામ બાપાએ સેવા, ભકિત, ધીરજ, ત્યાગભાવના વિગેરે ગુણો કેળવ્યા. જયારે એ નાના હતા ત્યારે એક સંત એમને મળ્યા જેઓ જલારામ બાપાને પૂર્વ જનમથી જાણતા હતા. અને એમની પ્રેરણાથીજ તેઓ સીતારામ મંત્ર બોલવા માંડયા. ૧૬ વર્ષમાં જ એમના લગ્ન વીરબાઇ જોડે થયા જે ઠક્કર પ્રાગજી સોવાજીયા ના દિકરી હતાં. જલારામને સંસાર ચલાવવામાં કે પિતાનો ધંધો ચલાવામાં બિલકુલ રસ ન હતો. એ તો સાધુ સંતોની સેવામાંજ લાગ્યા રહેતા. ભૌતિક જગતમાંથી તેઓ બહાર જવા માંગતા હતા. સૌભાગ્યથી પત્ની વીરબાઇ એ પણ એમનો માર્ગ સ્વીકાર્યો. જયારે જલારામે તીર્થયાત્રાએ જવાનો નિર્ણય કર્યો ત્યારે તેઓ પણ એમને અનુસર્યા. વચમાં એમણે પિતા સાથે અને પછી કાકા સાથે ધંધામાં ઝંપલાવ્યું પણ સાધુઓ અને ગરીબો માટેની એમની દયાને લીધે એમને ફાવ્યું નહી. ધંધામાં બેસીને પણ તેઓ બધાને છુટા હાથે મદત કરતા અને પિતા / કાકાના વેણ સાંભળતા.
હવે દુકાનમાંથી એનું ચિત્ત ઠી ગયું. એકાએક એના મનમાં જાત્રાએ જવાનો સંકલ્પ થયો. જલારામ જાત્રા પર નીકળી પડયા. તે વખતે તેમની ઉંમર માત્ર સત્તર વર્ષની હતી. સકળ તીર્થનાં દર્શન કરી દોઢ-બે વર્ષે એ ધેર પાછા આવ્યા, ત્યારે ગામે ધામધૂમથી એમનું સામૈયું કર્યું. જાત્રાએથી આવ્યા પછી જલારામ ભોજા ભગતનાં દર્શને ગયા. જુગજુગની ઓળખાણ જાગી પડી અને જલારામ ભોજા ભગતનાં પગમાં પડયા ને એમને ગુરુ તરીકે સ્વીકાર્યા.
મને જલારામ બાપાની ગુરૂભક્તિનો એક પ્રસંગ યાદ આવે છે.
ભોજલરામ બાપાએ એક વખતે ફતેપુર મેળો કરેલો અને તે સમયે હજારો ભાવિક ભક્તો તથા સાઘૂ સંતો, ફતેપુર આવેલા આવી જનમેદની કયારેય લોકોએ જોયલ નહીં નાનુ એવું ગામ અને નદીના તટ સુધી માણસો જ માણસો સિવાય કોઇ દેખાય નહિ શિયાળાનો સમય હતો હૈયે, હૈયું દળાય તેટલી મેદની હતી જલારામ બાપા તથા વાલમરામ બાપા તથા અનેક મહાન સંતો મહંતો તથા આજુબાજુના ગામો તથા અમરેલીના આગેવાનોને સાથે રાખી વ્યવસ્થા સંભાળે પણ ત્યારે નાની ઉંમરના શિષ્ય જલારામ બાપાને મનમાં શંકા રહ્યા કરે કયારેક એમ થાય કે રસોઇ ખૂટશે તો ? કયારેક એમ થાય કે આટલા બધા માણસોને રાત્રે કયા સુવડાવીશું ? આથી ભોજલરામ બાપાને થોડી થોડી વારે પૂછ્યા કરે ગુરૂ મહારાજ હવે શું કરીશું.?
જલારામ બાપા તો કંઇક બીજુ જ વિચારીને તરત ત્યાંથી ચાલી નીકળ્યા આવ્યા નિર્મળ એવી ઠેબી નદીના કાઠે અને વિચારમાં ડૂબી ગયા આ કડકડતી ઠંડીમાં પાટ (નદીની પાટ)માં કેમ પડાશે ? પણ ગુરૂ મહારાજે મને પાટમાં પડવાનું કહ્યું છે એટલે મારે રાત્રિ આખી આ ધૂનામાં જ કાઢવી પડે અને શિયાળાની કડકડતી ઠંડીમાં જલારામ બાપા તો પડ્યા પાટમાં અને આખી રાત ત્યાં પાણીમાં ઊભા રહ્યાં.
ત્યારે જલારામજી કહે છે ગુરૂ મહારાજ આપનું વચન થોડું મિથ્યા જાય? અને આપના વચનની હુફે મને જરા પણ ઠંડી લાગી નથી.
ત્યારે જલારામની ગુરૂભક્તિ જોઇને ભોજલરામ બાપાના મુખમાંથી આશીર્વાદ સરી પડ્યા કે મારો અંતરાત્મા તને આશિષ દે છે તું મારાથી સવાયો થઇસ તારી નામના ચારે દિશામાં ફેલાશે અને તારા નામ માત્રથી સિદ્ધિ જન્મશે આ પૃથ્વી પર જળ રહેશે ત્યાં સુધી તારૂં નામ રહેશે જલારામ હું મારી જાતને ધન્ય માનું છું કે તારા જેવો શિષ્ય મને મળ્યો છે. મારા વચન યાદ રાખજે કે એક દિવસ સ્વયં પ્રભુને પણ તારા દર્શન કરવા આવવું પડશે.
ત્યારબાદ બંને ગુરૂ શિષ્ય જગ્યામાં આવ્યા મેળો વિખરાયો અને થોડા દિવસ બાદ ગુરૂ ભોજલરામે જલારામને આદેશ આપ્યો કે વીરપુર જઇ જગ્યા સ્થાન બાંધી દીન દુઃખિયાને ટૂકડો શરૂ કર પરંતુ જલારામનું માન ગુરૂચરણ છોડવા માગતું નથી જલારામ બાપા કહે છે મારે તો અહીંયા ફતેપૂરમાંજ રહી તમારી સેવા કરવી છે. ભોજા ભગતે ખૂબ કહ્યું ત્યારે જલારામ એક શરતે વીરપુર જવાનું સ્વિકારે છે અને વચન માગે છે કે ગુરૂદેવનો અંતિમ વિશ્રામ મારે ત્યાં થાય મારે સાનિઘ્યે આપનું દેહાવસાન થાય એવું વચન આપો ત્યારે ભોજાભક્ત વચન આપે છે કે મારો અંતીમ વિશ્રામ તારે ત્યાં વિરપુરમાં થશે.
ભગવાન તેમની કસોટી કરવા માટે એક વખત વૃદ્ધ સાધુનું રૂપ લઈને આવ્યાં હતાં અને તેમણે તેમની પાસે તેમની પત્ની વીરબાઈની માંગણી કરી હતી. જલારામે સાધુની સેવા કરવા માટે પ્રેમથી તેમની પત્નીને સાધુને આપી દિધી હતી. પરંતુ બાદમાં ભગવાને પ્રસન્ન થઈને વીરબાઈ પાસે પ્રસાદી રૂપે ધોકો અને જોળી મુકતાં ગયાં. આજે પણ આ ધોકો અને જોળી તે મંદિરની અંદર છે. જે લોકો આજે અહીંયા દર્શન કરવા માટે આવે છે તેઓ મંદિરની અંદર રાખેલ આ ધોકા અને જોળીના દર્શન પણ અવશ્ય કરે છે.
સૌરાષ્ટ્રની ધરા જયાં ભોજલરામ બાપા જેવા ગુરૂ અને જલારામબાપા જેવા શિષ્ય અવતર્યા ધન્ય સૌરાષ્ટ્રની ધરાને

Sunday, November 11, 2012

ધનતેરસ, ખરીદી અને પૂજા માટે સર્વશ્રેષ્ઠ મુહૂર્ત


આજે ધનતેરસના શુભ પર્વ પર ધન, ઐશ્વર્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે શુભ મુહૂર્તમાં કાર્ય કરવા આવશ્યક છે. શુભ મુહૂર્તમાં પૂજા અને ખરીદી કરવા માટે તથા દરેક કાર્ય સફળ કરવા માટે જાણીએ ચોઘડિયાં..

શુભ- (સવારે 10:50 થી બપોરે 12:20 સુધી)
મૂર્તિઓ , પૂજન સામગ્રી, સૌંદર્ય સામગ્રી, નવા વસ્ત્રો, વાસણો વગેરે
ચલ- (બપોરે 02:20 થી 03:50 સુધી)
વાહન, મશીનો, ગેસ, ટીવી, મ્યુઝિક સિસ્ટમ, મોબાઈલ , ઘડિયાળ
લાભ- (બપોરે 03:50 થી 05:20 સુધી)
સોનું, ચાંદી, મૂલ્યવાન ધાતુઓ અને રત્ન, ધાન, તિજોરી, ચોપડાં, સ્થાયી સંપત્તિ , વોલેટ અને પર્સ।
અમૃત- (રાત્રે 08:45 થી 10:15 સુધી)
ખાદ્ય, મિષ્ટાન્ન, ઔષધી, માઈક્રોવેવ, ફ્રિજ।


ખરીદી અને પૂજા માટે સર્વશ્રેષ્ઠ મુહૂર્ત-
સાંજે- 04:30 થી 7:30 વાગ્યા સુધી
સાંજે- 06:23 થી 08 :21 વાગ્યા સુધી (વૃષભ લગ્ન)
રાત્રે- 09:00 થી 10: 30 વાગ્યા સુધી (અમૃત કાળ)

Sunday, November 4, 2012

દિવાળી એટલે...


દિવાળી એટલે...

દિવાળી એટલે ધાર્મિક માન્યતા મુજબ રામે રાવણ પર વિજય મેળવી અયોધ્યા પરત ફર્યા તેના માનમાં અયોધ્યામાં દિવાળી ઉજવાઈ હતી .
આધુનિક મોંઘવારી ભર્યા યુગમાં દિવાળી એટલે દરેક વર્ગ , સમુદાય અને સમાજ અલગ મહત્વ ધરાવે છે . દિવાળી એટલે ગૃહિણીઓ માટે પસ્તીવાળી . વર્ષ દરમ્યાન ભેગી થયેલી નકામી ,જગ્યા રોકતી વસ્તુઓ ભંગારમાં , પસ્તીમાં આપવાની મોસમ . દિવાળી એટલે ધાબે ગાદલા તપાડવા, ડબ્બા – પીપડા સાફ કરવા, માળિયા – સ્ટોર રૂમ – કબાટ સાફ કરી સરસ ગોઠવણ કરવાની મોસમ .
દિવાળી એટલે ખાવાના શોખીનો માટે નાસ્તાવાળી . ગૃહિણીઓ હોંશે હોંશે ડબ્બા ભરીને, મન મૂકીને તથા મોંઘવારીને ખાલી કરેલા માળીયે મૂકીને મઠીયા, સુવાળી, સક્કરપારા, ફરસીપૂરી, ફુલવડી,  ચવાણું, ભાખરવડી, ગાંઠિયા, ઘુઘરા, ગાંઠિયા, ચોળાફળી, કચોરી, ટમટમ, ચકરી જેવા ચટાકેદાર નાસ્તા બનાવે . નવા વર્ષે આવનાર મહેમાનો નાસ્તાની મજા માણે અને છેલ્લે મહેમાનો આવવાનું પૂર ઓસરે ત્યારે શ્રીમાનના પેટ પર મોંઘા નાસ્તા પુરા કરવાની ભારે જવાબદારી આવી પડે . ભલેને શ્રીમાનના ગળાની અને પેટની સિસ્ટમ ખોરવાઈ જાય પણ મોંઘવારીમાં મોંઘો નાસ્તો પુરો કરવો જ પડે .
દિવાળી એટલે ફરવાના શોખીનો માટે ફરવાવાળી . ફરવા માટે જોઈએ તો ગુજરાતીઓ જ નહિ પણ માત્ર ને માત્ર ગુજરાતીઓ જ શોખીન , નવરા અને સમૃદ્ધ છે . રાજસ્થાન , દિલ્લી , સિમલા , કુલુમનાલી , કાશ્મીર , સિક્કીમ , મહારાષ્ટ્ર , ગોવા , ઉંટી , કેરલ કે વિશ્વભરમાં ગમે ત્યાં જાવ ગુજરાતી સન્નારી અને સજ્જનો જોવા મળી જ જશે .પર્યટન સ્થળે વેપારીઓ પણ ગુજરાતીઓને વસ્તુઓ વેચવાની કે પહેરવાની ( વધુ કહી ઓછા કરવાની ) ઈસ્ટાઈલ શીખી ગયા છે .
દિવાળી એટલે યુવાનો, બાળકો માટે વેકેશનવાળી અને ફટાકડાવાળી . દિવાળી આવે એટલે બધા હાશકારો અનુભવે . નવરાત્રીનો થાક અને પરીક્ષાનો ત્રાસ દૂર કરવા જ દિવાળી આવે પણ સાથે દિવાળી વેકેશનની મજાની પથારી થોડી ફેરવી નાંખે . દિવાળી વેકેશનમાં મોડા ઉઠવાનું, થોડું રખડવાનું, વધુ ખાવાનું, થોડું ઘરકામ અને રાતે ફટાકડા ફોડવાનું કામ ક્રમબદ્ધ અને નિયમબદ્ધ બની જાય .
દિવાળી એટલે કંદોઈઓ, ફરસાણવાળા, કલરવાળા માટે કમાવવાવાળી . વરસાદમાં ભલેને ડેમ ના છલકાય પણ આ વેપારીઓના ગલ્લા દિવાળીમાં જરૂર છલકાય છે . વેપારીઓ મોંઘવારીના મથાળા હેઠળ મોંઘી વસ્તુઓ લાલચુ ગ્રાહકોને પહેરાવામાં દિવાળી ધર્મ માને છે . ઘણા ( બધા નહિ ) વેપારીઓ મહિનાઓથી ભેગો કરેલો ખરાબ , ડુપ્લીકેટ , સિન્થેટીક માવો દિવાળીની મીઠાઈઓમાં ઠાલવી ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ ખાલી કરી નિરાંત અનુભવે છે . મીઠાઇ ખાવાવાળાઓએ જરાક વિચારવું પડે કે દિવાળીના માવા માટે દુધાળા પશુઓ સ્પેશ્યલ કેશમાં વધુ દૂધ આપતાં નથી . રોજ જેટલું દૂધ ઉત્પાદન થાય તેમાંથી મોટો હિસ્સો પીવામાં વપરાઈ જાય છે અને વધે તેમાંથી દૂધની બનાવટો બને છે તો દિવાળીના માવા માટે વધારનું દૂધ કયા ખેતરમાં કે કંપનીમાં બને છે . ફરસાણવાળા પણ ઘણા ( બધા નહિ ) વેપારીઓ મોંઘવારી ઓથા હેઠળ સસ્તા તેલમાં ફરસાણ બનાવી માનવંતા ગ્રાહકોના પેટની અને ગળાની દશા ફેરવવામાં થોડીએ કસર બાકી નથી રાખતાં . કલરના વેપારીઓ , કારીગરો ગ્રાહકોના ઘરને રંગીન બનાવીને પોતાનો ગલ્લો ચમકદાર બનાવી દે છે .કલરના વેપારીઓનો વર્ષભરનો માલનો ભરાવો દિવાળીના પાવન પર્વ પર સાફ થઇ જાય છે .
દિવાળી એટલે થોડા ( બહુ જ થોડા ) કર્મચારીઓ માટે મલાઈવાળી . દિવાળી આવે એટલે આ થોડા સરકારી બાબુડીયાઓને સરકારી બોનસ અને વર્ષભરનો હિસાબ ચુકવણીની મોસમ . વર્ષભર જે કર્મચારીઓ પોતાના પૈસે સીંગ નથી ખાઈ શકતા તેઓ પારકા પૈસે બદામના બટુકા બોલાવે છે . 
દિવાળી એટલે  પસ્તીવાળી, નાસ્તાવાળી, ફરવાવાળી, વેકેશનવાળી, ફટાકડાવાળી, કમાવવાવાળી, મલાઈવાળી . આપ પણ રાહ શેની જુઓ છો . તમારાવાળી દિવાળી પસંદ કરી મનાવો દિવાળી .
સૌ બ્લોગર મિત્રો અને વાચકોને દિવાળી અને નવ વર્ષની  દિલથી હાર્દિક શુભેચ્છાઓ .

Friday, November 2, 2012

શાહપુર પ્રાથમિક શાળામાં યોજાયેલ ગરબા

શાહપુર પ્રાથમિક શાળામાં  યોજાયેલ ગરબા

Wednesday, October 31, 2012

જીવનનું મૂલ્ય


 કૉફીનો કપ
એકવાર એક બુદ્ધિમાન શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને કૉફી માટે નિમંત્રણ આપ્યું. આ નિમંત્રણમાં નવાઈની વાત એ હતી કે ટેબલ પર મૂકેલા બધા જ કપ જુદા જુદા રૂપ-રંગના હતા. બધા વિદ્યાર્થીઓએ તે જોયું અને ત્યારબાદ તેમણે કૉફી પીવાનું શરૂ કર્યું. કૉફી પીતાં તેઓ એકબીજાના કપ તરફ જોઈ રહ્યાં. શિક્ષકે આ બધું થોડીવાર ધ્યાનથી નિરીક્ષણ કરતાં વિદ્યાર્થીઓને કહ્યું : ‘શું તમે અત્યારે તમારી વર્તણૂંકથી સભાન છો ? તમે બધા જ એકબીજાના કૉફી-કપ જોઈ રહ્યાં છો. સાથે હું એ પણ નોંધી રહ્યો છું કે તમારામાંના કેટલાંક, કે જેમનો કપ સાવ સાદો સીધો છે તેઓ મોંઘાકપવાળાની ઈર્ષ્યા કરી રહ્યાં છે. શું એવું નથી ?’
વિદ્યાર્થીઓ સંમત થયાં. એમને પોતાની વર્તણૂંક બદલ થોડો સંકોચ પણ થયો.
શિક્ષકે પોતાની વાત આગળ વધારતાં કહ્યું : ‘તમને બધાને નવાઈ લાગી હશે કે આ બધા કપ આટલા જુદા જુદા શા માટે છે ? પણ એ મેં અહીં જાણી જોઈને રાખ્યા હતાં. જરાક ધ્યાનથી વિચારો તો તમને આમાંથી જીવનનો એક અગત્યનો બોધપાઠ શીખવા મળશે. જીવન એ કૉફી સમાન છે જ્યારે કપ એ જીવનમાં આવતી જુદી જુદી પરીસ્થિતિઓનું પ્રતીક છે. તમને બધાને આ કપમાં એક સરખી વસ્તુ આપવામાં આવી છે પણ તેમ છતાં તમે બીજાના કપની ઈર્ષ્યા કરવામાં કૉફીની મજા માણી શકતા નથી. શું આ સાચું નથી ? જ્યારે તમે બીજાના જીવનની જુદી જુદી પરીસ્થિતિઓનું મૂલ્યાંકન કરવા બેસી જાઓ છો ત્યારે હકીકતે તો તમે તમારા જ જીવનનો આનંદ ગુમાવી બેસો છો.’
અંતમાં શિક્ષકે કહ્યું : ‘તો હવે ચાલો, બધા આંખ બંધ કરો અને તમારા કપમાં ભરેલી કૉફીનો સ્વાદ માણો. ખરેખર એ ખૂબ જ ટેસ્ટી છે. જરા ચાખી જુઓ; અને ચાખીને મને કહો કે શું એ ટેસ્ટને કપના રૂપ-રંગ સાથે કંઈ લાગેવળગે છે ? મિત્રો, તમે કોઈ પણ ક્ષણે જીવન આનંદપૂર્વક જીવી શકો છો, પછી ભલે ને તમે ગમે ત્યાં હોવ. તમારી પાસે ગમે તે હોય. માત્ર જીવનનો સ્વાદ માણતા શીખી લો !’ 
(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓ માટેના મેગેઝીન ‘સુચિતા ટાઈમ્સ’ (અલાહબાદ)માંથી સાભાર અનુવાદિત.)

Tuesday, October 30, 2012

नियम सबके लिए है

नियम सबके लिए है
बात सन १८८५ की है। पूना के न्यू इंग्लिश हाईस्कूल में समारोह हो रहा था। प्रमुख द्वार पर एक स्वयंसेवक नियुक्त था, जिसे यह कर्तव्य-भार दिया गया था कि आनेवाले अतिथियों के निमंत्रण पत्र देखकर उन्हें सभा-स्थल पर यथास्थान बिठा दे। इस समारोह के मुख्य अतिथि थे मुख्य न्यायाधीश महादेव गोविंद रानडे। जैसे ही वह विद्यालय के द्वार पर पहुँचे, वैसे ही स्वयं सेवक ने उन्हें अंदर जाने से शालीनतापूर्वक रोक दिया और निमंत्रण-पत्र की माँग की।
"बेटे! मेरे पास तो निमंत्रण-पत्र नहीं हैं," रानडे ने कहा।
"क्षमा करें, तब आप अंदर प्रवेश न कर सकेंगे," स्वयंसेवक का नम्रतापूर्ण उत्तर था।
द्वार पर रानडे को देखकर स्वागत समिति के कई सदस्य आ गए और उन्हें अंदर मंच की ओर ले जाने का प्रयास करने लगे। पर स्वयंसेवक ने आगे बढ़कर कहा, "श्रीमान! मेरे कार्य में यदि स्वागत-समिति के सदस्य ही रोड़ा अटकाएँगे तो फिर मैं अपना कर्तव्य कैसे निभा सकूँगा? कोई भी अतिथि हो उसके पास निमंत्रण-पत्र होना ही चाहिए। भेद-भाव की नीति मुझसे नहीं बरती जाएगी।"
यह स्वयंसेवक आगे चलकर गोपाल कृष्ण गोखले के नाम से प्रसिद्ध हुआ और देश की बड़ी सेवा की।
                                                                                 -सुधीर निगम

ગણિત - વિજ્ઞાન મંડળ હરતા ફરતા કરીએ .

તૈયાર કરનાર :
અશ્વિન પ્રજાપતિ , મુખ્ય શિક્ષક , શાહપુર પ્રાથમિક શાળા 

Sunday, October 28, 2012

સરદાર પટેલ


31 ઓક્ટોબર,  સરદાર પટેલ જયંતી
     આજનો સુવિચાર:- મુસીબતો આવે ને જાય પણ જે મક્કમ બનીને વળગી રહે છે એ સફળતાને પામે છે. 
 
       સરદાર વલ્લભભાઈ પટેલ ભારતનાં લોખંડી પુરુષ ગણાતા. સરદાર વલ્લભભાઈ પટેલ એટલે સરળતા અને અભય – સંકલ્પની મૂર્તિ. બ્રિટીશ મ્યુઝિયમમાં એકી બેઠકે સત્તર સત્તર કલાક બેસીને કાયદાનાં ગ્રંથો ઉથલાવતા. ચંપારણ્યમાં ગાંધીજીની પડખે ઉભા રહેલા. જમીન મહેસૂલ વિરૂદ્ધ બારડોલીને ઉભું કરી દીધું હતું. સ્વતંત્રતા પછી 600 દેશી રજવાડામાં વહેંચાયેલા ભારતને એક બનાવી દેવામાં તેમનો સૌથી ફાળો છે.આમ અનેક વ્યક્તિત્વથી ભરપૂર એવા સરદાર પટેલનો જન્મદિવસ આજે ભારતવાસીઓ ઉજવી રહ્યાં છે. તા.31-10-1875માં તેમનો જન્મ કરમસદમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામડામાં લીધુ હતું પણ ત્યારબાદ વિલાયત જઈ તેઓ વકીલ થયાં હતાં. નીડરતા, સંગઠન,વ્યવસ્થાશક્તિ, વ્યુહસંચાલન, સ્નેહવાત્સલ્ય, ત્વરિત નિર્ણયશક્તિ, આત્મશક્તિ જેવાં બધા જ ગુણો સરદાર પટેલમાં હતાં. તેમના આવા વ્યક્તિત્વને કારણે યુવાનોને તેમની સાથે જોડાવવાનું પસંદ કરતાં. તા.15-12-1950 એમની મરણતિથી છે.
              શું એવુ નથી લાગતું કે ‘ગાંધીગીરી’ની જેમ ‘સરદાર 
પટેલગીરી’ની ભારતને જરૂરત છે???????

Tuesday, October 23, 2012

પેન્સિલ અને રબરનો સંવાદ


પેન્સિલ અને રબરનો સંવાદ
Pencil:   I’m sorry….
Eraser:   For what? You didn’t do anything wrong.
Pencil:      I’m sorry cos you get hurt bcos of me. Whenever I made a mistake, you’re always there to erase it. But as you make my mistakes vanish, you lose a part of yourself. You get smaller and smaller each time.
Eraser:     That’s true. But I don’t really mind. You see, I was made to do this. I was made to help you whenever you do something wrong. Even though one day, I know I’ll be gone and you’ll replace me with a new one, I’m actually happy with my job. So please, stop worrying. I hate seeing you sad.
I found this conversation between the pencil and the eraser very inspirational. Parents are like the eraser whereas their children are the pencil. They’re always there for their children, cleaning up their mistakes. Sometimes along the way… they get hurt, and become smaller (older, and eventually pass on). Though their children will eventually find someone new (spouse), but parents are still happy with what they do for their children, and will always hate seeing their precious ones worrying, or sad.
This is for all parents out there…..

Sunday, October 21, 2012

ભગવાન કેવા છે ?

ભગવાન કેવા છે ?

એક વ્યક્તિ વાળંદની દુકાન પર બાલદાઢી કરાવવા માટે આવ્યો. વાળંદે જેવું તેનું કામ શરુ કર્યું કે તેઓની વચ્ચે એક સંવાદ શરુ થયો. તેઓએ ઘણા બધા ટોપિક પર વાતો કરી. અંતે જયારે ભગવાનની વાત નીકળી તો વાણંદ કહે કે હું નથી માનતો કે આં દુનિયામાં ભગવાનનું અસ્તિત્વ હોય…
પેલા વ્યક્તિએ કહ્યુ, “કેમ એવું કહો છો ?

વાણંદે કહ્યું, “તમારે કોઈ પણ શહેર કે ગામની ગલીમાં જવું એટલે ભાન પડી જશે કે ભગવાનનું અસ્તિત્વ નથી જ. તમે જ કહો જો ભગવાન હોય તો આટલા દુખો કેમ ? કેમ લાખો લોકો માંદા દેખાય છે, કેમ લાખો બાળકો અનાથ દેખાય છે, જો ભગવાન હોતે તો આટલા દુખ, દર્દ પણ ના હોતે ને ! હું કલ્પના પણ ના કરી શકું કે એક પ્રેમાળ ભગવાન આવું કેમ કરી શકે !”
પેલો વ્યક્તિ થોડીવાર કઈ જ ના બોલ્યો, બસ સામે જોતો રહ્યો કોઈ પણ દલીલ કર્યા વગર જ…

વાણંદે વાળ કાપવાનું પૂરું કર્યું અને પેલો વ્યક્તિ ત્યાંથી જતો હતો કે ગલીમાં તેણે એક ભિખારીને જોયો કે જેના વાળ એકદમ લાંબા થઇ ગયેલા, ગંદા ગંદા ભરેલા હતા અને દાઢી પણ લાંબી થઇ ગયેલી.

પેલો વ્યક્તિ ફરી દુકાનમાં આવ્યો અને પેલા વાણંદને બોલ્યો તને ખબર કે આ દુનિયામાં વાણંદનું અસ્તિત્વ જ નથી.
વાણંદ આશ્ચર્ય ચકિત થઇ ને બોલ્યો, “અરે પણ તું એવું કેવી રીતે કહી શકે જયારે મેં હમણા જ તારા વાળ કાપ્યા અને હું તો તારી સામે જ ઉભો છું અત્યારે પણ…”

પેલા વ્યક્તિએ કહ્યું, “ના ! વાણંદ તો નથી જ… જો વાણંદ હોતે તો આં લાંબા અને ગંદા વાળ વાળો ભિખારી હોય જ નહિ ને !
વાણંદ ને સમજાયું અને બોલ્યો કે મને હવે ખબર પડી કે વાણંદનું અસ્તિત્વ તો છે જ પરંતુ જો લોકો મારી પાસે ના આવે તો આં ભિખારીની જેમ ગંદા રહી જાય છે…

એ જ તો વાત છે. ભગવાનનું અસ્તિત્વ તો સ્વયં સિદ્ધ જ છે પરંતુ લોકો જયારે સ્વાર્થી બનીને ભગવાનને ભુલી  જાય અને તેને એક સમય યાદ પણ ના કરે ત્યારે જ તો દુનિયામાં દુખ અને દર્દ દેખાય ને............. !


Thursday, October 18, 2012

આત્મસુખ

આત્મસુખ
         એક વાડીની અંદર એક આંબો અને એક આસોપાલવનું ઝાડ બાજુબાજુમાં હતાં. સમય અને ઋતુઓના આવન-જાવન સાથે ગ્રીષ્મ ઋતુમાં આંબાના ઝાડમાં કેરીનો પાક શરૂ થાય ત્યારે બાળકો આંબાના ઝાડને ઈંટોના ઢેખારા તેમ જ નાના પથ્થરો મારી મારીને કેરીઓ તોડવાનું શરૂ કરી દેતા હતાં. છોકરાઓ જ્યારે આંબાને મારતા ત્યારે આસોપાલવના ઝાડને મઝા પડતી. આંબાનું વૃક્ષ માર ખાય ત્યારે પોતાને ખૂબ નસીબદાર માનતું અને આંબા માટે દયા આવતી.
       એક દિવસ તેણે આંબાને કહ્યું,’જ્યારે જુઓ ત્યારે કોઈ ને કોઈ તમને પથ્થર મારીને કેરી તોડતું જ રહે છે, ત્યારે તમને બહુ જ પીડા થતી હશે.’ એનાં કરતાં કેરી ઊગતી ન હોય તો કેવું સારૂં ? આ વાત સાંભળીને આંબાના વૃક્ષે કહ્યું,’ એવું ન કહે, મારી ડાળીઓ પર કેરી ઊગે છે એનાંથી મને બહુ ખુશી થાય છે. આ જ કેરીને કારણે તો બાળકો તેના ઊગવાની રાહ જુએ છે અને ઊગે ત્યારે મારી પાસે આવે છે, તેનાથી મને બહુ ખુશી થાય છે.’
           આસોપાલવ કહે,’ પણ એમાં તને શો ફાયદો? કાયમ માર ખાતો રહે છે. મને તો કોઈ એક કાંકરી પણ મારે નહીં. તારા કરતાં હું ક્યાંય વધુ ખુશ છું. એ સાંભળી આંબાએ કહ્યું,’ તારી ડાળી પર કોઈ ફળ ઊગતા નથી એટલે તને એનો આનંદ નહીં સમજાય.’ જેની પાસે કંઈક હોય એ જ બીજાને આપી શકે અને એજ તેનો ધર્મ છે. કંઈક આપવાથી આત્મસુખ મળે છે અને જો તમે આનંદથી આપતા હો તો તેમાં કોઈ પ્રકારની પીડા કે દુઃખ થતાં નથી.’ આ વાતનો જવાબ આસોપાલવ પાસે નહોતો અને તેથી તેણે આંબાને ધન્યવાદ આપ્યા.
          આપણી પાસે ભગવાને જે કંઈ પણ આપ્યું હોય તેમાંથી બીજાને તેની જરૂર મુજબ આપવાથી આપણને આનંદ મળે છે અને સાથે સાથે આત્મસુખ પણ મળે.
                                                                                                                     — સંકલિત

શું આપ જાણો છો?

શું આપ જાણો છો?
  •  બ્રાઝિલ એવો દેશ છે જેણે સૌથી વધુ વખત ફૂટબોલ વર્લ્ડકપ જીત્યો છે.
  •  મહાભારતનાં સહદેવે શકુનીનો વધ કર્યો હતો.
  •  THE YELLOW RIVER [પીળી નદી] ચીનમાં થઈ વહે છે.
  •  ઝિમ્બાબ્વેનું ચલણી નાણું ડૉલર છે.
  •  ટોલરમલ અકબરના નાણામંત્રી હતા.
  •  નોર્સમેને ગ્રીન લેન્ડ ટાપુની શોધ કરી હતી.
  •  વિલિયમ શેક્સપિયર અંગ્રેજી ભાષાના મહાન કવિ અને ભારતના નાટ્યકાર હતા.
  •  હેલીના ટાપુમાં નેપોલિયનને કેદ રાખવામાં આવ્યો હતો.
  • સાતનો કમાલ
  • સૂર્યદેવના રથના અશ્વો સાત છે.
  • મેઘધનુષના સાત રંગ છે.
  • સપ્તગણ ઋષિમાં સાત ઋષિ છે.
  • દુનિયામાં સાત ચિરંજીવીઓ છે.
  • અઠવાડિયાના દિવસો સાત છે.
  • દુનિયાના ખંડ સાત અને મહાસાગર સાત છે.


-સંકલિત

Monday, October 8, 2012

અવનવું

અવનવું

• અમેરિકામાં થયેલા સંશોધન દ્વારા સાબિત થયેલું છે કે ચાઈનીઝ પદાર્થોમાં અન્ય કોઈપણ પદાર્થો કરતાં સોડિયમનું પ્રમાણ 40% વધારે હોય છે અને કેલેરીનું પ્રમાણ અન્ય કોઈપણ ખોરાક કરતા ઓછું હોય છે એટલે વ્યક્તિને જેટલી કેલેરીની જરૂરત હોય છે તેના કરતાં અડધી મેળવી શકે છે. આમ ચાઈનીઝ ખોરાક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
• ધૂમ્રપાનથી હાર્ટએટેક આવી શકે છે. લોકો માને છે કે ધૂમ્રપાન કરવાથી ચિંતા ઘટે છે પરંતુ હૃદય પર તેનો ભાર વધતો જાય છે. જો તે પ્રત્યે ધ્યાન ન આપવામાં આવે તો લાંબા ગાળે ગંભીર બિમારીનો શિકાર બની શકે છે તેમજ કૅંસર થવાની શક્યતા વધે છે.
• ઠંડી છાશ પચવામાં હલકી અને પિત્તનાશક તથા કફ વધારનારી હોય છે પણ તેમાં મીઠું ભેળવી પીવાથી પાચક બને છે. સ્વાસ્થ્ય અને પાચનશક્તિ વધારવા માટે દહીં કરતા છશ વધારે ગુણકારી છે. ઉનાળામાં ગરમી બચવા,ઉદર રોગ, કુષ્ઠ રોગ, બળતરા તથા ક્ષય રોગમાં લાભદાયક છે. 

Sunday, October 7, 2012

મુખ્ય શિક્ષક વ્યાવસાયિક સજ્જતા તાલીમ


મુખ્ય શિક્ષક વ્યાવસાયિક સજ્જતા તાલીમ . તા . 10-09-2012 થી 29-09-2012

Saturday, October 6, 2012



પક્ષીના અનુકૂલન 

જુઓ જાણાવું એક જ વાત 
મારે કુલ અનુકૂલન છે પાંચ

હાથ તમારા પાંખો મારી 
સાથે પૂંછડીનો છે સાથ 

રંગબેરંગી પૂંછડીના પીંછા 
જાળવે શરીરનો સમતલ આધાર 

હાડકાં મારા હલકા હલકા 
કારણ તેમાં છીદ્રોનો સાથ 

સાથે છે એક વિશિષ્ટ કરામત 
વાતાશય છે તેનું નામ 

ઊડતાં પહેલા હવા ભરાય 
ને લાગે જાણે ઉડે વિમાન 


- મોનાબેન પટેલ 
પીરોજ્પુર પ્રાથમિક શાળા 
સીઆરસી - લવારપુર, તા . જિ  . ગાંધીનગર 


Tuesday, September 18, 2012

ગુજરાત વિષે જાણવા જેવું




ગુજરાત વિષે જાણવા જેવું
ગુજરાતમાં સૌથી મોટું
મોટું બંદરઃ- કંડલા
મોટું શહેરઃ- [વસ્તી અનુસાર] અમદાવાદ
મોટો જિલ્લોઃ- [વસ્તીમાં] અમદાવાદ
મોટો જિલ્લોઃ- [વિસ્તારમાં] કચ્છ
મોટું રેલ્વેસ્ટેશનઃ- અમદાવાદ
મોટી હૉસ્પિટલઃ- સિવિલ હૉસ્પિટલ [અમદાવાદ]
મોટી ડેરીઃ- અમુલ ડેરી [આણંદ]
મોટી રિફાઈનરીઃ- કોયલી [વડોદરા]
મોટી યુનિવર્સિટીઃ- ગુજરાત યુનિવર્સિટી [અમદાવાદ]
મોટી ઔદ્યોગિક સંસ્થાઃ- રિલાયન્સ
મોટી નદીઃ- સાબરમતી
મોટો મેળોઃ- વૌઠાનો મેળો
મોટું વનસ્પતિ ઉદ્યાનઃ- વધઈ [ડાંગ]
મોટો બંધઃ- સરદાર સરોવર નર્મદા બંધ
મોટો મહેલઃ- લક્ષ્મી વિલાસ પેલેસ [વડોદરા]
મોટું એરપૉર્ટઃ- અમદાવાદ
મોટું સરોવરઃ- નળ સરોવર
મોટી લાઈબ્રેરીઃ- વડોદરા સેન્ટ્રલ લાઈબ્રેરી
મોટું મ્યુઝિયમઃ- બરોડા મ્યુઝિયમ
મોટું ખેતઉત્પાદનઃ- ઊંઝા
મોટું ખાતરનું કારખાનું- જી.એસ.એફ.સી.
ઊંચું પર્વતશિખરઃ- ગોરખનાથ [ગિરનાર]


Friday, September 7, 2012

ગણિત  - વિજ્ઞાન  મંડળ, સાયન્સ કેલેન્ડર 


તૈયાર કરનાર :

હર્ષદ પટેલ , મુખ્ય શિક્ષક, ચિલોડા પગાર કેન્દ્ર શાળા, ગાંધીનગર 

અશ્વિન પ્રજાપતિ, મુખ્ય શિક્ષક, શાહપુર પ્રાથમિક  શાળા, ગાંધીનગર 

Tuesday, September 4, 2012



ARTICLE
મહાન વ્‍યકિતઓની સરળતા

રેડીઓ ઉપર સાંભળેલી વાત........... કદાચ તમને ગમશે.. આ વાતે મહાન ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇનની.....
વર્ષ ૧૯૪૦ની સાલમાં એક યુનિવર્સીટીએ તેમને તેમની મહાન થીયરી ઓફ રીલેટીવીટી વિશે વ્યાખ્યાન આપાવબોલાવ્યા હતા. વ્યવસ્થાપકે તેમને પૂછ્યું. સર.. આપની શી જરૂરીયાત છે.. જવાબમાં આઇન્ટાઇને જવાબ આપ્યો. મને એક બ્લેક બોર્ડ ચોક ડસ્ટર અને થોડા કોરા કાગળ આપજો.. વ્યવસ્થાપક મૂઝવણમાં મૂકાયા. કે બસ આટલીજ જરૂરીયાત.. તેમણે ફરીથી પૂછ્યૂ.. આ વખતે થોડી ગંભીરતાથી આઇન્ટાઇન બોલ્યા.... કે ઓડિટોરીયમમાં વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરજો અને હા....... એક કચરાટોપલી. કચરાટોપલી સાંભળી બધા આશ્ચર્યમાં મૂકાયા. એટલે આઇન્ટાઇન બોલ્યા. કોઇ વિદ્યાર્થીએ પૂછેલા પ્રશ્નનો જવાબ શોધવામાં અથવાતો કોઇ દાખલો ખોટો પડેતો તેમાં બગડેલા કાગળો ફેકવા માટે. 
મહાન વ્યકિતઓની આજ ખૂબી હોય છે. તે કોઇ પણ તબક્કે તથા કોઇની પણ સાથેની હાર અથવા નિશ્ફળતા સ્વિકારતા હંમેશા તૈયાર હોય છે. એમની આ સરળતાજ તેમને અન્ય કરતા વિશેશ અને મહાન હોય છે.winners dont do different things, but they do things differently - Shiv khera
આપણે ભૂલે ચૂકે આવી કોઇ સિદ્ધિ પ્રાપ્ત કરી લઇએ તો કેટલા અધ્ધર થઇ જઇએ તેની આપણને પણ ખબર હોતી નથી.......