શાહપુર પ્રાથમિક શાળામાંથી તા. ૨૧-૦૨-૨૦૧૬ ના રોજ ધોરણ – ૬ થી ૮ ના
વિદ્યાર્થીઓ માટે શૈ. પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઈડરિયો ગઢ, વિજયનગર પોળો
અને શામળાજી જેવા સ્થળો રાખવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ વિજયનગર પોળો માં વિવિધ
પ્રાચીન જૈન મંદિરો અને શિવ મંદિરો નિહાળ્યા. આ ઉપરાંત હરણાવ નદી પર બાંધેલ બંધ જોયો.
અતિ રમણીય કુદરતી વાતાવરણ માં જંગલો અને પાણીના ઝરણા ને વિદ્યાર્થીઓએ મન ભરીને
માણ્યા.
Pages
- Home
- અન્ય ગુજરાતી બ્લોગ
- પાવર પોઇન્ટ
- બાળગીતો, કાવ્ય ધોરણ 1 થી 8
- ગણિત-વિજ્ઞાનમંડળ
- અગત્યના બ્લોગ અને પરિપત્રો
- ગુજરાત ક્વિઝ
- સુવાક્યો
- જાણવા જેવું
- કહેવતો
- વિશેષદિન
- સંપર્ક
- વિવિધ વિષયોનું માસવાર આયોજન
- એકસલ ફાઇલ
- પ્રાર્થના
- પ્રવૃત્તિઓ
- બાળવાર્તા MP3
- દેશભક્તિ ગીત
- પ્રકૃતિ ગીત
- કન્યા કેળવણી ગીત
- કવિતા ધો. ૨ થી ૮
- બાળ ગીત
- સ્વાગત ગીત
- ડિઝીટલ પુસ્તકાલય
- એકમ કસોટી
- આજનો દિન વિશેષ
text
Friday, February 24, 2017
Thursday, February 2, 2017
વિધાનસભા પ્રવાસ
વિધાનસભા પ્રવાસ
તા. ૦૧-૦૨-૨૦૧૭ ને બુધવાર ના રોજ ગુજરાત વિધાનસભામાં મુકવામાં આવેલ અબ્બાસ તૈયબજી ના તૈલચિત્ર ને પુષ્પાંજલિ અર્પણ ના કાર્યક્રમ માં હાજરી આપવા માટે શાહપુર પ્રાથમિક શાળાના ૭૪ વિદ્યાર્થીઓને વિધાનસભા ની મુલાકાત માટે લઇ જવામાં આવ્યા. શાળાના વિદ્યાર્થીઓ એ અબ્બાસ તૈયબજીના તૈલચિત્રને વંદન કરી સભાગૃહની મુલાકાત લીધી, વિધાનસભાની સ્થાનિક વ્યક્તિ દ્વારા વિધાનસભાની કાર્યવાહીની તમામ માહિતી પૂરી પાડવામાં આવી. સભાગૃહ ની મુલાકાત બાદ વિદ્યાર્થીઓને મહાત્મા મંદિરની ગાંધી કુટિરની મુલાકાત કરાવવામાં આવી. વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવન પ્રસંગો પ્રદર્શન દ્વારા નિહાળ્યા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને મધુર ડેરી, અડાલજ વાવ અને ત્રિ મંદિર ની પણ મુલાકાત કરાવવામાં આવી.
તા. ૦૧-૦૨-૨૦૧૭ ને બુધવાર ના રોજ ગુજરાત વિધાનસભામાં મુકવામાં આવેલ અબ્બાસ તૈયબજી ના તૈલચિત્ર ને પુષ્પાંજલિ અર્પણ ના કાર્યક્રમ માં હાજરી આપવા માટે શાહપુર પ્રાથમિક શાળાના ૭૪ વિદ્યાર્થીઓને વિધાનસભા ની મુલાકાત માટે લઇ જવામાં આવ્યા. શાળાના વિદ્યાર્થીઓ એ અબ્બાસ તૈયબજીના તૈલચિત્રને વંદન કરી સભાગૃહની મુલાકાત લીધી, વિધાનસભાની સ્થાનિક વ્યક્તિ દ્વારા વિધાનસભાની કાર્યવાહીની તમામ માહિતી પૂરી પાડવામાં આવી. સભાગૃહ ની મુલાકાત બાદ વિદ્યાર્થીઓને મહાત્મા મંદિરની ગાંધી કુટિરની મુલાકાત કરાવવામાં આવી. વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવન પ્રસંગો પ્રદર્શન દ્વારા નિહાળ્યા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને મધુર ડેરી, અડાલજ વાવ અને ત્રિ મંદિર ની પણ મુલાકાત કરાવવામાં આવી.
Subscribe to:
Posts (Atom)