text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Thursday, December 19, 2024

ઉર્જા સંરક્ષણ અંતર્ગત ચિત્ર સ્પર્ધા

 શાહપુર પ્રાથમિક શાળા ખાતે ઉર્જા સંરક્ષણ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ.

આજરોજ તા.16 ના રોજ શાહપુર પ્રાથમિક શાળા, ગાંધીનગર ખાતે UGVCL ચિલોડા દ્વારા ઉર્જા સંરક્ષણ વિષય અંતર્ગત ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા. પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતા વિદ્યાર્થીઓને વિશિષ્ટ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં UGVCL ચિલોડાના ડેપ્યુટી એન્જિનિયર શ્રી એસ.વી. પટેલ ઉપસ્થિત રહ્યા. ભાગ લેનાર તમામ બાળકોને આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિએ અભિનંદન પાઠવ્યા.



ગણવેશ અને સ્વેટર વિતરણ

 ગાંધીનગરની શાહપુર પ્રાથમિક શાળામાં ગણવેશ અને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો. 


રોટરી સુપ્રીમ સેટેલાઇટ સ્ટાર ક્લબ, અમદાવાદ દ્વારા શનિવાર, 7 ડિસેમ્બર 2024ના રોજ શાહપુર પ્રાથમિક શાળા, ગાંધીનગર ખાતે એક શિયાળુ કપડાં વિતરણ કેમ્પ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. શિયાળાની ઠંડીમાં કોઈપણ બાળકને ગરમીથી વંચિત ન રહેવું પડે એ હેતુથી શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્વેટર,  યુનિફોર્મ, શિયાળુ ટોપીઓ અને અન્ય જરૂરી વસ્તુઓ પૂરી પાડી તેમના માટે શિયાળો આરામદાયક બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યને સફળ બનાવવા ગામની બ્રહ્મકુમારી સંસ્થા, ગામના સરપંચ શ્રી અર્પીતભાઈ પટેલ, ગ્રામ પંચાયત અને તેમની ટીમના સભ્યો, તેમજ શાહપુર શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ અને શિક્ષકોનો અમુલ્ય સહયોગ મળ્યો. આ ખાસ પ્રસંગને સફળ બનાવવા માટે રોટરી સુપ્રીમ સેટેલાઇટ સ્ટાર ક્લબ, અમદાવાદના પ્રેસિડેન્ટશ્રી  પુરવિશ પટેલ અને અન્ય સમર્પિત સભ્યો પણ સાથે જોડાયા.





બિરસા મુંડા ની ૧૫૦મી જન્મ જયંતિ

 શાહપુર શાળા ખાતે ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી બિરસા મુંડા ની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી.


આજરોજ "ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ" આયોજિત  "ધરતી આબા" ભગવાન બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતીની ઉજવણી ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી.  આ આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના પ્રાથમિક સંવર્ગના મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે જિલ્લાના સંગઠન મંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ પરમાર, વરિષ્ઠ ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પ્રજાપતિ, તાલુકા અધ્યક્ષ શ્રી નિલેશભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ, પ્રાંતિયા શાળાના શિક્ષક શ્રી ભાવનાબેન પટેલ તથા જિલ્લા સંગઠન મંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ પરમાર દ્વારા બિરસા મુંડા ના જીવન ચરિત્ર વિશે પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું. પ્રાથમિક સંવર્ગ ના મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે શું કરી શકાય તેના વિશે પોતાના વિચારો રજૂ કર્યા. ગાંધીનગર જિલ્લામાંથી શહેર વિસ્તારમાં ગયેલા શિક્ષકો દ્વારા સંગઠનના વિકાસ માટે  ઉદાર હાથે ફાળો આપવામાં આવ્યો. કાર્યક્રમને અંતે તાલુકાના મહામંત્રી શ્રી મકસુદભાઈ મનસુરીએ આભાર વિધિ કરી હતી.




NMMS પરીક્ષાની પુસ્તિકાનું વિનામૂલ્યે વિતરણ

 અંત્યોદય ફાઉન્ડેશન મહારાષ્ટ્ર દ્વારા ગાંધીનગર તાલુકા અને શહેર વિસ્તારની પ્રાથમિક શાળાઓને (એન.એમ.એમ.એસ.) NMMS પરીક્ષાની પુસ્તિકાનું વિનામૂલ્યે વિતરણ

અંત્યોદય ફાઉન્ડેશન મહારાષ્ટ્ર સરકાર માન્ય બિન સરકારી સંસ્થા છે. જેમના દ્વારા ભારતના વિવિધ રાજ્યોમાં સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે તથા વિવિધ જરૂરિયાત મંદ લોકો માટે સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩ માં ગાંધીનગર તાલુકાની ૧૪ શાળાઓને શાહપુર શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિનાં માર્ગદર્શનથી સંસ્થાના હેડ શ્રી મહેન્દ્ર મહેતા સાહેબના આર્થિક સહયોગથી વિના મૂલ્યે ૩૦૦૦ રૂપિયાની એક એવી ૧૪ રમકડાં કીટ આપવામાં આવી હતી.  વર્ષ ૨૦૨૪ માં પણ શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિના માર્ગદર્શનથી અને અંત્યોદય ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી ગાંધીનગર તાલુકાની અને શહેર વિસ્તારની તમામ શાળાઓ\ના ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી NMMS પરીક્ષાની તૈયારી કરી મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુથી ૪૫૦૦૦/- ની કિમતની કુલ ૨૦૦ પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.  ગાંધીનગરના બ્લોક કોઓર્ડીનેટર શ્રી પંકજભાઈ પટેલે શ્રી મહેન્દ્ર મહેતા સાહેબ અને અંત્યોદય ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો.






Sunday, August 18, 2024

“એક પેડ માં કે નામ”

 શાહપુર પ્રાથમિક શાળામાં “એક પેડ માં કે નામ” કાર્યક્રમ યોજાયો. 

ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળામાં ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધ્વજ વંદન બાદ વાલીમીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલીમીટીંગ બાદ ઉપસ્થીત બાળકોની માતાઓના હસ્તે શાળામાં “એક પેડ માં કે નામ” કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી અર્પિતભાઈ પટેલ, તલાટી શ્રી યોગેશભાઈ, એસ.એમ.સી. અધ્યક્ષ શ્રી ચિરાગભાઈ ઠાકોર તથા અન્ય સભ્યો, આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ, શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.



Sunday, August 11, 2024

વિદ્યોત્તેજક શિક્ષક સન્માન

 *પાટનગર ગાંધીનગર ખાતે શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણા આયોજિત વિદ્યોત્તેજક સન્માન કાર્યક્રમ યોજાયો...*

          તા. 11-08-2024ના રોજ શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ, ગાંધીનગર ખાતે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી અને કચ્છ જિલ્લાના શિક્ષક મિત્રો જેમણે શિક્ષણ ક્ષેત્રે પોતાનું વિશેષ યોગદાન આપીને તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, રાજયકક્ષા તેમજ રાષ્ટ્રકક્ષા સુધી એવોર્ડ મેળવેલ છે તેવા શ્રેષ્ઠ સારસ્વતો માટે વિદ્યોતેજક સન્માન કાર્યક્રમ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણાના સહયોગથી અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવશ્રી અને ભૂતપૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પુલકિત જોશીની પ્રેરણાથી યોજાયો. જેમાં આ સાત જિલ્લાના 555 જેટલા શ્રેષ્ઠ શિક્ષક મિત્રોનું સન્માન થયું. જે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર છે. શિક્ષણવિદ શ્રી ગજેન્દ્રકુમાર જોશીના માર્ગદર્શનમાં અને તેઓશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ડૉ. સી.જે.ચાવડા સાહેબશ્રી-ધારાસભ્ય વિજાપુર, રીટાબેન પટેલ - ધારાસભ્ય ગાંધીનગર, ડૉ. સુખાજી ઠાકોર - ધારાસભ્ય બેચરાજી, મનુભાઈ ચોકસી - પૂર્વ ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ,મહેસાણા, એમ.પી. મહેતા, સચિવશ્રી સર્વ શિક્ષા અભિયાન, શ્રી એમ.કે રાવલ નિયામકશ્રી GSEB અને GIET ગાંધીનગર, શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકશ્રી ધર્મેશભાઈ પટેલ વગેરેએ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન પત્ર આપ્યાં તથા ખૂબ જરૂરી જ્ઞાનવર્ધક ભાથું પીરસ્યું.  બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણાના પ્રમુખશ્રી નરેશકુમાર દવેએ પોતાના ટ્રસ્ટનાં સેવાકીય કાર્યોની વિગતો આપી. તેમની વાતોમાં સ્વભાવની સરળતાનાં તથા શિક્ષકો માટેના આદરનાં દર્શન થયાં. કેટલાક નૂતન વિચારો સાથેનું આ સજ્જતાવર્ધક સ્નેહમિલન આજીવન સંભારણું રહેશે તે ભાવ સાથે સૌ છૂટા પડ્યા.










Wednesday, July 3, 2024

વૃક્ષારોપણ

શાહપુર પ્રાથમિક શાળામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

બેંક ઓફ બરોડા ગ્લોબલ શેર પ્રાઇવેટ લિમિટેડ ગિફ્ટ સિટી તરફથી આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કંપનીના અધિકારીઓ અને શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ ની હાજરીમાં 40 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. કંપનીના અધિકારી અને સ્ટાફ દ્વારા ફક્ત વૃક્ષારોપણ નહિ પરંતુ નિયમિત રીતે આ વૃક્ષના ઉછેર અને પિયત ની જવાબદારી પણ લેવામાં આવી.






Tuesday, April 23, 2024

વિજ્ઞાન પ્રયોગશાળાનું નિર્માણ

 શાહપુર પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રયોગશાળાનું નિર્માણ કરવામાં આવ્યું.

ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડા ગ્લોબલ શેર પ્રા.લી. ગિફ્ટ સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ વિજ્ઞાન પ્રયોગશાળાનું  ઉદ્ઘાટન કરવામાં આવ્યું.  આ પ્રસંગે શાળાના તમામ બાળકો માટે 400 નંગ સ્કુલ બેગ તથા 400 સ્ટેશનરી કીટ પણ આપવામાં આવી. આજ કંપની દ્વારા અગાઉ બગીચાના વિવિધ રમત ગમતના સાધનો, પ્રોજેક્ટર, આર. ઓ. પ્લાન્ટ, ત્રણ કોમ્પ્યુટર તથા બેન્ચીસ પણ આપવામાં આવેલી છે. શાહપુર ગ્રામજનો, SMC  અને ગ્રામ અગ્રણી તથા શાળા પરિવાર તરફથી કંપનીની અધિકારી ટીમ નો આભાર માનવામાં આવ્યો.











વાર્ષિકોત્સવ તથા ઉષાબેન વિદાય

 શાહપુર પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ ની ભવ્ય ઉજવણી

ગાંધીનગર તાલુકાના શાહપુર પ્રાથમિક શાળામાં શાળા વાર્ષિકોત્સવ તથા શાળાના શિક્ષક શ્રી ઉષાબેન મોદીના વિદાય સમારંભ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત, રાસ ગરબા, બાળગીત, લોકગીત, વ્યસન મુક્તિ તથા મતદાન જાગૃતિ નાટક જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. તથા વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા શિક્ષક શ્રી ઉષાબેન મોદીના વિદાય સમારંભ યોજવામાં આવ્યો. આ પ્રસંગે શાળામાં પૂર્વ નિવૃત થયેલ શાહપુર ગામના શિક્ષકશ્રીઓ તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધીનગર અધ્યક્ષ હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. નિવૃત થનાર શિક્ષક શ્રી ઉષાબેન દ્વારા શાહપુર શાળાના વિકાસ અર્થે શાળાને રૂ. ૨૧૦૦૦/- નું તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધીનગરને રૂ.૨૫૦૦/- દાન આપવામાં આવ્યું. શાળા દ્વારા પણ નિવૃત્ત થનાર બેન શ્રી તથા આમંત્રિત મહેમાનો નું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનિષાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું. શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિએ શાળામાં પધારેલા મહેમાનો અને નિવૃત થનાર બેન શ્રી નો આભાર માન્યો.













સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૨૦૨૩

 સંસ્કૃત ગૌરવ પરીક્ષા - ૨૦૨૩ 



પ્રકૃતિ વિચરણ

 શાહપુર શાળાના ધો. ૬ થી ૮ ના વિદ્યાર્થીઓને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા આયોજિત વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત શાહપુર નજીક આવેલા ગીર ફાઉન્ડેશનમાં મુક્ત રીતે પ્રકૃતિ વિચરણ કરાવવામાં આવ્યું. 







ચરણ કરાવવામાં આવ્યું. 

સ્પોર્ટ્સ કીટ દાન

 ઈફકો કલોલ તરફથી તા. ૦૭/૦૨/૨૦૨૪ ના રોજ  શાળાના વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ના વિવિધ સાધનો દાન કરવામાં આવ્યા.