Thursday, February 2, 2017

વિધાનસભા પ્રવાસ

વિધાનસભા પ્રવાસ 
તા. ૦૧-૦૨-૨૦૧૭ ને બુધવાર ના રોજ ગુજરાત વિધાનસભામાં મુકવામાં આવેલ અબ્બાસ તૈયબજી ના તૈલચિત્ર ને પુષ્પાંજલિ અર્પણ ના કાર્યક્રમ માં હાજરી આપવા માટે શાહપુર પ્રાથમિક શાળાના ૭૪ વિદ્યાર્થીઓને વિધાનસભા ની મુલાકાત માટે લઇ જવામાં આવ્યા.  શાળાના વિદ્યાર્થીઓ એ અબ્બાસ તૈયબજીના તૈલચિત્રને વંદન કરી સભાગૃહની મુલાકાત લીધી, વિધાનસભાની સ્થાનિક વ્યક્તિ દ્વારા વિધાનસભાની કાર્યવાહીની તમામ માહિતી પૂરી પાડવામાં આવી. સભાગૃહ ની મુલાકાત બાદ વિદ્યાર્થીઓને મહાત્મા મંદિરની ગાંધી કુટિરની મુલાકાત કરાવવામાં આવી. વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવન પ્રસંગો પ્રદર્શન દ્વારા નિહાળ્યા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને મધુર ડેરી, અડાલજ વાવ અને ત્રિ મંદિર ની પણ મુલાકાત કરાવવામાં આવી.