text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Sunday, August 18, 2024

“એક પેડ માં કે નામ”

 શાહપુર પ્રાથમિક શાળામાં “એક પેડ માં કે નામ” કાર્યક્રમ યોજાયો. 

ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળામાં ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધ્વજ વંદન બાદ વાલીમીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલીમીટીંગ બાદ ઉપસ્થીત બાળકોની માતાઓના હસ્તે શાળામાં “એક પેડ માં કે નામ” કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી અર્પિતભાઈ પટેલ, તલાટી શ્રી યોગેશભાઈ, એસ.એમ.સી. અધ્યક્ષ શ્રી ચિરાગભાઈ ઠાકોર તથા અન્ય સભ્યો, આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ, શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.