શહીદો માટે સતકર્મ
પુલવામામાં શહીદ થયેલ જવાનોના આત્માની શાંતિ માટે પ્રજાપિતા બ્રહ્માકુમારી વિદ્યાલય તથા શાહપુર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે શાળામાં પ્રાર્થના સભા અને કેન્ડલ માર્ચનું આયોજન ગત સપ્તાહે કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભા માં શાળા પરિવાર અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. આ પ્રાર્થના સભામાં તેમના દ્વારા ફંડ એકત્ર કરવાની વાત રજુ કરવામાં આવી હતી. જેમાં ગ્રામજનો દ્વારા શાળામાં ૪૭૦૦૦/- રૂપિયા જેટલી રકમ એકત્ર કરવામાં આવી હતી. આ રકમનો ચેક આજ રોજ શાળાના આચાર્યશ્રી અશ્વિનભાઈ પ્રજાપતિના હસ્તે ગાંધીનગર જીલ્લા કલેકટર સાહેબને અર્પણ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર કલેકટર શ્રી એસ. કે. લાંગા સાહેબે શાળા પરિવાર અને ઉદાર હાથે ફાળો આપનાર શાહપુર ગ્રામજનો નો અભાર વ્યક્ત કર્યો હતો.