શાહપુર પ્રાથમિક શાળાના આચાર્યનું વાત્સલ્ય ફાઉન્ડેશન મહેસાણા દ્વારા માન. શિક્ષણ મંત્રી શ્રી, ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબના હસ્તે સન્માન
વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા તા. ૨૩ ઓગસ્ટના રોજ ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રાજ્યના ૧૪૧ શિક્ષકોને શાળામાં કરેલ વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ રાજયના શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબના હસ્તે પ્રમાણપત્ર આપીને સંમંતિ કરવામાં આવ્યા. જેમાં ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ ભૂલાભાઈ પ્રજાપતિનું પણ પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે માન. મંત્રીશ્રી ની સાથે સાંસદ શારદાબેન પટેલ, કલેકટર શ્રી એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. ઓમપ્રકાશ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.