Friday, February 24, 2017

શૈ. પ્રવાસ - ૨૦૧૭

શાહપુર પ્રાથમિક શાળામાંથી તા. ૨૧-૦૨-૨૦૧૬ ના રોજ ધોરણ – ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે શૈ. પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઈડરિયો ગઢ, વિજયનગર પોળો અને શામળાજી જેવા સ્થળો રાખવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ વિજયનગર પોળો માં વિવિધ પ્રાચીન જૈન મંદિરો અને શિવ મંદિરો નિહાળ્યા. આ ઉપરાંત હરણાવ નદી પર બાંધેલ બંધ જોયો. અતિ રમણીય કુદરતી વાતાવરણ માં જંગલો અને પાણીના ઝરણા ને વિદ્યાર્થીઓએ મન ભરીને માણ્યા.