text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Sunday, March 4, 2018

State Innovation Festival 2018

State Innovation Festival 2018

રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલ ૨૦૧૮ નું આયોજન તાજેતરમાં તા. ૨૭/૦૨/૨૦૧૮ થી ૦૧/૦૩/૨૦૧૮ ના રોજ સાંદીપની વિદ્યાનિકેતન , પોરબંદર મુકામે કરવામાં આવ્યું. શ્રી પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના સાનિધ્યમાં શાહપુર પ્રાથમિક શાળા દ્વારા  "ડિઝીટલ પુસ્તકાલય" ઇનોવેશન રજુ કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી , GCERT ના ડાયરેક્ટર શ્રી ટી. એસ. જોશી સાહેબ ,  શ્રી દીપકભાઈ તેરૈયા , શ્રી નલીન પંડિત સાહેબ, શ્રી પાર્થેશભાઈ પંડ્યા તેમજ અન્ય મહાનુભાવો એ આ સ્ટોલ ની મુલાકાત લઇ માર્ગદર્શન પૂરું પાડ્યું .






Friday, February 23, 2018

INSPIRE Science Fair 2018

ઈન્સ્પાયર અંતર્ગત વિજ્ઞાન પ્રદર્શન 

                 જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મુકામે ઈન્સ્પાયર એવોર્ડ અંતર્ગત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન તા. ૨૩-૦૨-૨૦૧૮ ના રોજ કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થી તીર્થ મહેશભાઈ પટેલ તથા જૈમીનસિંહ ભરતસિંહ સોલંકી દ્વારા અકસ્માત નિવારણ માટેનું મોડેલ બનાવવામાં આવ્યું. તેમજ અન્ય વિદ્યાર્થી જૈમીન મનીષભાઈ શર્મા દ્વારા ઓટોમેટીક ટોલ બુથ મોડેલ બનાવામાં આવ્યું. 


Wednesday, February 7, 2018

ઇનોવેશન ફેર - ૨૦૧૮

ઇનોવેશન ફેર , 1-2 ફેબ્રુઆરી ૨૦૧૮
GCERT પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર આયોજિત ઇનોવેશન ફેર - ૨૦૧૮ માં શાહપુર શાળા દ્વારા ડીઝીટલ પુસ્તકાલય ઇનોવેશન રજુ કરવામાં આવ્યું. જેમાં ગાંધીનગર સમાચારના તંત્રીશ્રી કૃષ્ણકાંત જહાં સાહેબ, GCERT ના નિયામક શ્રી ડો.ટી.એસ.જોશી સાહેબ ,  DIET પ્રાચાર્ય શ્રી પટેલ સાહેબ તથા અન્ય મહાનુભાવો એ મુલાકાત લીધી.






ઉતરાયણ નિમિતે નકામા દોરાનો નાશ

ઉતરાયણ નિમિતે નકામા દોરાનો નાશ , 22-01-2018

ઉતરાયણના તહેવાર બાદ ગામમાં ઠેર ઠેર વધેલા અને નકામાં દોરા ફેલાયેલા હોય છે , જે ચણ ચણતા પક્ષીઓના પગમાં ભરાઈ જાય છે , જેના ભાગ રૂપે શાળાના વિદ્યાર્થીઓને આ દોરા ભેગા કરવાનું કહેવામાં આવ્યું. અને જે વિદ્યાર્થી સૌથી વધુ દોર લાવે તેને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.



Friday, January 12, 2018

ડિઝીટલ પુસ્તકાલય

શાહપુર પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૧૭ થી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલ માં મુકાયેલ છે. જેનું ઉદ્ગાટન ગુજરાતના માન. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તે કરવામાં આવેલ છે. આ સાથે જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અંતર્ગત શાળાને 100 ટેબ્લેટ પણ આપવામાં આવેલ છે. સર્વ શિક્ષા અભિયાન, ગુજરાતના MIS બ્રાંચ માંથી  શ્રી વિશાલભાઈ સોની દ્વારા શાળામાં ટેબ્લેટ ના અન્ય શૈક્ષણિક ઉપયોગ કરવા માટે શાળામાં ડિઝીટલ પુસ્તકાલય બનાવવા માટે  સુચન કરવામાં આવ્યું. જેના ભાગ રૂપે શાળામાં આ પુસ્તકાલયની રચના કરવામાં આવી. 

          શાહપુર પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૧૭ થી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલ માં મુકાયેલ છે. જેનું ઉદ્ગાટન ગુજરાતના માન. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તે કરવામાં આવેલ છે. આ સાથે જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અંતર્ગત શાળાને 100 ટેબ્લેટ પણ આપવામાં આવેલ છે. સર્વ શિક્ષા અભિયાન, ગુજરાત નાMIS બ્રાંચ માંથી  શ્રી વિશાલભાઈ સોની દ્વારા શાળામાં ટેબ્લેટ ના અન્ય શૈક્ષણિક ઉપયોગ કરવા માટે શાળામાં ડિઝીટલ પુસ્તકાલય બનાવવા માટે સુચન કરવામાં આવ્યું. જેના ભાગ રૂપે શાળામાં આ પુસ્તકાલયની રચના કરવામાં આવી.
         આ નવતર પ્રયોગ માં શાળામાં ઉપલબ્ધ ટેબ્લેટ માં વિવિધ પ્રકારના વાચન સાહિત્યને PDF સ્વરૂપે ટેબ્લેટ માં ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ઓફલાઈન ચલાવી શકાય તેવી વાર્તાની એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. પ્રયોગની શરૂઆતમાં ધોરણ - 5 ના વિદ્યાર્થીઓ દ્વારા શરૂઆત કરવામાં આવેલ છે. જેથી આગામી વર્ષ થી સ્માર્ટ ક્લાસ માં તેઓ સરળતાથી ટેબ્લેટ નો ઉપયોગ કરી શકે. વિદ્યાર્થીઓ ટેબ્લેટ માં ઉપલબ્ધ એપ્લીકેશન અને PDF ફાઈલ પોતાની જાતે ખોલે છે, અને સારી રીતે વાચન કરે છે. આ ઉપરાંત વાર્તા ની આ ફાઈલ અને એપ્લીકેશન એક બીજાના ટેબ્લેટ માં કઈ રીતે ટ્રાન્સફર કરવી તે પણ આ પ્રયોગ દ્વારા શીખે છે.
           આ પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓ ફ્રી સમયમાં પોતાની જાતે શાળામાં સંબંધિત શિક્ષક પાસેથી ટેબ્લેટ મેળવી વાર્તાનું વાચન કરે છે અને પ્રાર્થના સભામાં પોતે કઈ વાર્તા ટેબ્લેટ દ્વારા વાંચી તેનું વર્ણન કરે છે. 

અમલીકરણનું મૂલ્યાંકન :
          શાળામાં ઉપલબ્ધ ટેબ્લેટ માં વાર્તાની એપ્લીકેશન અને PDF  ઇન્સ્ટોલ કાર્ય બાદ વિદ્યાર્થીઓ પોતાની જાતે શાળામાં સંબંધિત શિક્ષક પાસેથી ટેબ્લેટ મેળવી વાર્તાનું વાચન કરે છે આ ઉપરાંત મૂલ્યાંકન કરતા જોવા મળ્યું કે વિદ્યાર્થીઓ વાર્તા ના લખાણને કઈ રીતે મોટું કરવું , નાનું કરવું, ઉપર નીચે કરવું, પાછા મૂળ સ્ક્રીન પર જવું, સ્વીચ ઓફ કરવું કે ઓન કરવું જેવી ટેબ્લેટ ઓપરેટીંગ ની વિવિધ બાબતો સારી રીતે અને રસ પૂર્વક શીખી રહ્યા છે. આ ઉપરાંત નિયમિત રીતે વાર્તા પણ વાંચી રહ્યા છે. 
        અન્ય પ્રવૃત્તિ માં વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે શાળામાં આપને ગમતા કોઈ પણ બે પિક્ચર કેમેરા દ્વારા લેવા અને અન્ય ટેબ્લેટ માં તેને કેવી રીતે ટ્રાન્સફર કરવા , જે પ્રવૃત્તિ  પણ વિદ્યાર્થીઓ દ્વારા ખુબ જ રસપૂર્વક કરવામાં આવી.
આ સાથે આ ટેબ્લેટ માં સામાન્ય જ્ઞાનની અન્ય એપ્લીકેશન જેવી કે ગુજરાત ક્વિજ, ગુજરાત નો ઈતિહાસ, ભૂગોળ , વિવિધ જીલ્લાની માહિતી, કહેવતો, સુવિચારો, ભગવદ ગીતા અને રામાયણ કે મહાભારતની વાર્તાઓ પણ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે.

પરિણામ :

મારા ભૂતકાળના અનુભવ ના આધારે જે ગીત કે કોઈ પણ પ્રકારની વાર્તા જયારે આપને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ થી જોઈએ છીએ ત્યારે તે લાંબા સમય સુધી યાદ રહે છે. આ અભિગમ મુજબ ટેબ્લેટ માં ઇન્સ્ટોલ કરેલ તમામ એપ્લીકેશન બાળકો ખોલે છે, અને તેને રસપૂર્વક વાંચે છે.
બાળકોએ વાંચેલ વાર્તા કે અન્ય જ્ઞાનવર્ધક વિગતો તેઓ પ્રાર્થના સભામાં પણ રજુ કરે છે. આ ઉપરાંત ટેબ્લેટ જેવા ઈલેક્ટ્રીક ઉપકરણ નો કઈ રીતે ઉપયોગ કરવો તે પણ તેઓ રસપૂર્વક શીખે છે.

વર્તમાન સ્થિતિ :
        હાલ માં શાળામાં ઉપલબ્ધ તમામ ટેબ્લેટ માં સામાન્ય જ્ઞાનની અન્ય એપ્લીકેશન જેવી કે ગુજરાત ક્વિજ, ગુજરાત નો ઈતિહાસ, ભૂગોળ , વિવિધ જીલ્લાની માહિતી, કહેવતો, સુવિચારો, ભગવદ ગીતા અને રામાયણ કે મહાભારતની વાર્તાઓ પણ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે.

શાળાના વિદ્યાર્થીઓ આ તમામ એપ્લીકેશન નો ઉપયોગ કરે છે. ઉપલબ્ધ સાહિત્ય તેઓ રસપૂર્વક વાંચે છે.





Sunday, January 7, 2018

Yog, Meditation

શાહપુર પ્રાથમિક શાળામાં તા. ૦૪/૦૧/૧૭ અને ૦૫/૦૧/૧૭ એમ ૨ દિવસ ગાંધીનગર ની માઉન્ટ કાર્મેલ શાળાના નિવૃત શિક્ષિકા બેન શ્રી કુસુમબેન જોશી દ્વારા આર્ટ ઓફ લીવીંગ અંતર્ગત યોગ અને મેડીટેશન દ્વારા થતા ફાયદા સમજાવવામાં આવ્યા. આ ઉપરાંત સારું જીવન કેવી રીતે જીવી શકાય તેની માહિતી આપવામાં આવી. આ દરમ્યાન બાળકોને ભસ્ત્રિકા પ્રાણાયામ અને વિવિધ પ્રકારના નિયમિત કરી શકાય તેવા યોગ કરાવવામાં આવ્યા.




Sunday, September 10, 2017

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ

ગુજરાત સરકારના જ્ઞાનકુંજ  પ્રોજેક્ટ અંતર્ગત અમારી શાહપુર પ્રાથમિક શાળામાં ધોરણ-૭ અને ૮ ના બે વર્ગોને સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા. શાળાને  સ્માર્ટ બોર્ડ, ઇન્ફારેડ કેમેરા, પ્રોજેક્ટર અને લેપટોપ આપવામાં આવ્યા. આ ઉપરાંત શાળાના બંને ધોરણ ના ૧૦૦ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા. આ સમર્ત ક્લાસ નું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના માન.મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રુપાણી સાહેબ દ્વારા કરવામાં આવ્યું.