બેગલેસ કાર્યક્રમ તા. ૦૨/૦૮/૨૦૨૫
શાહપુર આદર્શ પ્રાથમિક શાળા, તા.જિ. ગાંધીનગર
તા. ૦૨/૦૮/૨૦૨૫, શનિવાર
શાળામાં તા. ૦૨/૦૮/૨૦૨૫, શનિવારના રોજ "બેગલેસ દિવસ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે બાળકોને દફ્તરના ભાર વિના આનંદદાયક પ્રવૃત્તિઓ દ્વારા જ્ઞાન મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓને વિવિધ કારીગરોની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં કડીયાકામ, દરજીકામ, ધોબીકામ, કાપડ વેપારી અને મંદિર નિર્માણ જેવા વ્યવસાયો સાથે જોડાયેલા લોકોની મુલાકાત કરાવીને બાળકોને તેમના કાર્ય અને મહત્વ વિશે સીધી જાણકારી આપવામાં આવી. આ પ્રવૃત્તિથી બાળકોએ વ્યવસાયલક્ષી જ્ઞાન મેળવ્યું અને સમાજમાં દરેક કામનું સન્માન કરવું કેટલું જરૂરી છે તે પણ સમજ્યા.
આ ઉપરાંત, ધોરણ ૩ થી ૫ ના બાળકો માટે વિવિધ બાળરમત અને બાળગીત નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આનંદ સાથે મનોરંજન મેળવ્યું.
કાર્યક્રમના અંતે, શાળાના આચાર્યશ્રી ડૉ. અશ્વિનભાઈ પ્રજાપતિએ તમામ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડ્યું. તેમણે આવા પ્રવૃત્તિલક્ષી શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને બાળકોને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા.
આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો માટે એક યાદગાર દિવસ બની રહ્યો.