Tuesday, January 11, 2022

ગુરુ ચાણક્ય એવોર્ડ

શાહપુર પ્રાથમિક શાળાના આચાર્ય અશ્વિનભાઇ પ્રજાપતિ નુ હરદ્રાર ખાતે ગુરુ ચાણક્ય એવોર્ડ થી સન્માન.
અખિલ ભારતીય શૈક્ષણિક પરામર્શ અને શિક્ષક સન્માન સમારોહ-ત્રિલોક જ્ઞાનોત્સવ – 2022 યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, રુડકી - હરિદ્વાર (ઉત્તરાખંડ) ખાતે યોજાયો.જેમાં ગાંધીનગર જિલ્લાની શાહપુર પ્રાથમિક શાળાના આચાર્ય અશ્વિનભાઇ પ્રજાપતિ એ શાળા કક્ષાએ કરેલ વિવિધ નવતર પ્રયોગો તેમજ શાળાકીય વિકાસ ને ધ્યાને લઇ "ગુરુ ચાણક્ય એવોર્ડ"માટે પસંદગી થઇ હતી.
આ કાર્યક્રમમાં ડો.મહેશ શર્મા કુલપતિ મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટી મોતીહાર- બિહાર, શ્રીમતી પુષ્પા રાની પૂર્વ નિર્દેશક એસ.સી.ઈ.આર.ટી.- દહેરાદૂન, પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી મુખ્ય અધ્યક્ષ જીવનદીપ આશ્રમ -રુડકી, સતીષ શર્મા સિનેમા અભિનેતા અને ફિલ્મ પ્રોડ્યુસર દહેરાદૂન, ગૌરવ ગોયલ મેયર શ્રી નગરપાલિકા -રુડકી, ડો.એસ.પી. ગુપ્તા કુલપતિશ્રી યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ કોલેજ રૂડકી -હરિદ્વાર, શ્રી ગોપાલ અગ્રવાલ સદસ્ય બાળ કલ્યાણ સમિતિ – હરિદ્વાર, શ્રી કુંદનસિંહ ના. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, શ્રી કાન્ત પુરોહિત-રુડકી શ્રી સતીશ કુમાર શર્મા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી -બડૌત, ઉત્તર પ્રદેશ તથા સંયોજકશ્રી સંજય વત્સ અને આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. આ એવોર્ડ અને સમાજીક પ્રવૃતિઓ કરવા બદલ સન્માન ના સાચા હકદાર એવા મારાં નાના ભૂલકાઓ તેમજ શાળા પરિવાર અને કર્મભૂમિ શાહપુરને અર્પણ કરતાં અનહદ આનંદ અનુભવું છું.




Do you like this post? Please link back to this article by copying one of the codes below.

URL Of Post:


HTML Link Code:

BB (forum) link code:

No comments:

Post a Comment