અંત્યોદય ફાઉન્ડેશન મહારાષ્ટ્ર દ્વારા ગાંધીનગર તાલુકા અને શહેર વિસ્તારની પ્રાથમિક શાળાઓને (એન.એમ.એમ.એસ.) NMMS પરીક્ષાની પુસ્તિકાનું વિનામૂલ્યે વિતરણ
અંત્યોદય ફાઉન્ડેશન મહારાષ્ટ્ર સરકાર માન્ય બિન સરકારી સંસ્થા છે. જેમના દ્વારા ભારતના વિવિધ રાજ્યોમાં સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે તથા વિવિધ જરૂરિયાત મંદ લોકો માટે સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩ માં ગાંધીનગર તાલુકાની ૧૪ શાળાઓને શાહપુર શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિનાં માર્ગદર્શનથી સંસ્થાના હેડ શ્રી મહેન્દ્ર મહેતા સાહેબના આર્થિક સહયોગથી વિના મૂલ્યે ૩૦૦૦ રૂપિયાની એક એવી ૧૪ રમકડાં કીટ આપવામાં આવી હતી. વર્ષ ૨૦૨૪ માં પણ શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિના માર્ગદર્શનથી અને અંત્યોદય ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી ગાંધીનગર તાલુકાની અને શહેર વિસ્તારની તમામ શાળાઓ\ના ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી NMMS પરીક્ષાની તૈયારી કરી મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુથી ૪૫૦૦૦/- ની કિમતની કુલ ૨૦૦ પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના બ્લોક કોઓર્ડીનેટર શ્રી પંકજભાઈ પટેલે શ્રી મહેન્દ્ર મહેતા સાહેબ અને અંત્યોદય ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો.
Do you like this post? Please link back to this article by copying one of the codes below.
URL Of Post:
HTML Link Code:
BB (forum) link code:


No comments:
Post a Comment